Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બંગાળમાં ફરી નક્સલી હુમલો : પાંચ જવાન મર્યા

બંગાળમાં ફરી નક્સલી હુમલો : પાંચ જવાન મર્યા

ભાષા

કોલકાતા , ગુરુવાર, 20 મે 2010 (17:15 IST)
પાંચ રાજ્યોમાં અપાયેલા 48 કલાકના બંધના એલાનના બીજા દિવસે બુધવારે પશ્ચિમ બંગાળના લાલગઢમાં નકસલવાદીઓએ કરેલા આઈઈડી બ્લાસ્ટમાં સીઆરપીએફના પાંચ જવાનો માર્યા ગયા હતા અને બે ઘાયલ થયા હતા.

ગૃહપ્રધાન પી. ચિદમ્બરમની વાટાઘાટોની ઓફરની લીરા ઉડાડતાં નકસલીઓએ ઓરિસ્સામાં એક સરકારી કચેરી પણ ફૂંકી મારી હતી. અને સીપીઆઈ(એમ)ના એક કાર્યકરને ઠાર માર્યો હતો. ચિદમ્બરમે નકસલીઓ ૭૨ કલાક હિંસા બંધ રાખે તો વાટાઘાટો કરવાની ઓફર કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati