Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રદર્શનકારીઓએ કોંગ્રેસ નેતા પર હુમલો કર્યો

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાનો બચાવ

પ્રદર્શનકારીઓએ કોંગ્રેસ નેતા પર હુમલો કર્યો

ભાષા

જમ્મુ , ગુરુવાર, 21 ઑગસ્ટ 2008 (16:22 IST)
કોંગ્રેસનાં પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા મંગતરામ શર્માનાં કાફલા પર પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો હતો. જમ્મુ શહેરમાં થયેલા આ હુમલાથી જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર પર ચોંકી ઉઠ્યું હતું. જો કે આ હુમલામાં શર્માનો બચાવ થયો હતો.

જમ્મુ કાશ્મીરનાં પૂર્વ ઉપ મુખ્યમંત્રી શર્મા તેમનો પૌત્ર સાથે ડોક્ટરની જોડે ગયા હતાં. તે દરમિયાન પ્રદર્શનકારીઓએ લોખંડનાં સળીયાઓ તથા પથ્થરોથી તેમની ગાડી પર હુમલો કર્યો હતો.

પણ સુરક્ષાકર્મીઓએ તેમને બચાવીને સુરક્ષિત માર્ગે તેમનાં ઘરે લઈ ગયાં હતાં. વરિષ્ઠ પોલીસ અધિક્ષક એસ ડી એસ જામવાલે જણાવ્યું હતું કે આ હુમલામાં ત્રણ વાહનોને ઈજા થઈ હતી. આ પહેલાં ભીડે અમરનાથ આંદોલન દરમિયાન ગાંધી નગર સ્થિત શર્માનાં ઘરે પણ હુમલો કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati