નવી દિલ્હી(ભાષા) વામપંથી દળોએ પેટ્રોલ અને ડિઝલના ભાવવધારા સામે આજથી રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડી દીધુ છે. જનતા પર ભાર ઘટાડવા માટે ઉત્પાદ અને સીમા શુલ્કમાં કટૌતી કરવાના તેમના સુઝાવની સરકારે અનદેખી કરી છે. સીતારામ યેચુરીએ કહ્યુ હતુ કે, સરકારના ભાવ વધારાના નિર્ણયથી અમે ખુબ જ નિરાશ છીએ. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી અને ફોરવોર્ડ બ્લોકે પણ આ બાબતે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, યુપીએ ગઠબંધન સરકારને બહારથી ટેકો આપી રહેલા વામ દળોના સામૂહિક મંતવ્યોની સરકારે અવગણના કરી છે.