Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નારાજ ભારતે પાકિસ્તાન સાથેની વાતચીતને રદ્દ કરી

નારાજ ભારતે પાકિસ્તાન સાથેની વાતચીતને રદ્દ કરી
જમ્મુ , સોમવાર, 18 ઑગસ્ટ 2014 (18:29 IST)
.ભારતે પાકિસ્તાન સાથે 25 ઓગસ્ટના રોજ થનારી વિદેશ સચિવોની બેઠકો રદ્દ કરી દીધી છે. પાકિસ્તાને આ વાતચીત પહેલા કાશ્મીરના સ્વતંત્રવાદીઓ નેતાઓ સાથે મુલાકાત કરી છે. સોમવારે સાંજે સ્વતંત્રવાદી નેતા શબ્બીર શાહ સાથે દિલ્હીમાં પાક ઉચ્ચાયુક અબ્દુલ બાસિત સાથે મુલાકાત કરી હતી. મંગળવારે તેઓ અન્ય સ્વતંત્રતાવાદી નેતાઓને મળવાના હતા. પાકિસ્તાનના આ પગલા પર ભારત સરકારે વાંધો ઉઠાવ્યો. ઉપરાંત પાકિસ્તાન તરફ સતત સીઝફાયર ઉલ્લંઘન કરી રહ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે યુદ્ધ વિરામનુ સતત ઉલ્લંઘન કરતા પાકિસ્તાને રવિવારે આખી રાત ભારતની 20 ચોકીઓ અને સીમાની પાસે વસેલા ગામો પર ગોળીઓ વરસાવી. પાકિસ્તા તરફથી જમ્મુ સેક્ટરની ભારતીય ચૌકીઓ પર મોર્ટાર છોડાયા અને ઓટોમેટિક હથિયારો દ્વારા ગોળીબારી કરી. આ વર્ષ સંઘર્ષ વિરામનુ આ સૌથી મોટુ ઉલ્લંઘન છે. 
 
 
એક બીએસએફ અધિકારી જણાવ્યુ કે પાકિસ્તાન રેંજર્સે રવિવારે રાત્રે સાઢા નવ વાગ્યે જમ્મુના અરનિયા અને આરએસ સંપુર્ણ સબ સેક્ટરમાં 15 20 અગ્રિમ ચોકીઓ પર મોર્ટાર દાગ્યા અને ગોળીઓ ચલાવી જેના જવાબમાં ભારતીય જવાનોએ ફાયરિંગ કરી. બંને બાજુથી સોમવારે સવારે સાઢા છ વાગ્યા સુધી થોડી થોડીવારે ફાયરિંગ થતી અહી. જેમા એક વડીલ ગ્રામીણ અત્તર સિંહ ઘાયલ થઈ ગયા. 
 
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેનાએ આરએસના સંપૂર્ણ સેક્ટરની અગ્રિમ ચોકીઓઅમં 82 એમએમના મોર્ટાર ગાદ્યા. 

Share this Story:

Follow Webdunia gujarati