છત્તીસગઢનાં બસ્તર જિલ્લામાં નક્સલવાદીઓએ બારૂદી સુરંગથી બ્લાસ્ટ કરીને પુલ ઉડાવી દીધો હતો. જેને કારણે બીએસએફનાં પાંચ જવાનોનાં મોત થયા છે.
બસ્તર જિલ્લામાં નક્સલીઓએ મરદાપાલ અને કોંડાગાવ વચ્ચે એક પુલ પર બારૂદી સુરંગ ગોઠવી હતી. જેમાં સેનાનાં પાંચ જવાનો શહીદ થઈ ગયા હતાં.
ઘટનાસ્થળે પોલીસ પહોચી ગઈ છે. અને તપાસ શરૂ કરી છે. તેમજ નક્સલીઓને પકડવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.