Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશમાં સ્વાઈન ફ્લૂનો આંકડો 400એ પહોચ્યો

દેશમાં સ્વાઈન ફ્લૂનો આંકડો 400એ પહોચ્યો

વાર્તા

, શનિવાર, 25 જુલાઈ 2009 (16:06 IST)
દેશમાં એચ1એન1 ફ્લૂ એક દિવસમાંજ 21 નવા કેસ સામે આવ્યા છે જેની સાથે જ સ્વાઈન ફ્લૂના દર્દીઓમાં વધારો થઈને આંકડો 392 સુધી પહુંચી ગયો છે. જ્યારે વિશ્વમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યા એક લાખના આંકડાને પાર કરવા જઈ રહી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના 6 જુલાઈ સુધી આંકડાઓ અનુસાર વિશ્વમાં સ્વાઈન ફ્લૂના અત્યાર સુધી 94512 પોઝિટીવ કેસ સામે આવી ચૂક્યા છે, જેમાંથી 392 કેસો ભારતમાંથી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગઈ કાલે એક દિવસમાં 21 નવા કેસો સામે આવ્યા જેમાંથી 12 દિલ્હી, અને 4 હેદરાબાદ ઉપરાંત બેંગલૂરૂ, ગોવા, મુંબઈ, દેહરાદૂન તથા ગુરદાસપુરથી એક એક કેસ નોંધાયો છે.

Share this Story:

Follow Webdunia gujarati