Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિગ્વિજય સિંહ કરશે લગ્ન, ટીવી એંકર સાથેના સંબંધો સ્વીકાર્યા

દિગ્વિજય સિંહ કરશે લગ્ન, ટીવી એંકર સાથેના સંબંધો સ્વીકાર્યા
નવી દિલ્હી , બુધવાર, 30 એપ્રિલ 2014 (16:11 IST)
. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંથી એક અને મીડિયાનો ચેહરો દિગ્વિજયસિંહ એક મોટી ગૂંચવણમાં પડી ગયા છે. સોશિયલ મીડિયા પર જેવી તેમણે એક મહિલા સાથેના પોતાના સબંધોની તસ્વીરો સામે આવી કે તેમનો રંગ જ બદલાય ગયો.  
 
સોશિયલ મીડિયા પર કોઈએ દિગ્વિજય સિંહ અને ટીવી એંકર અમૃતા રાયના કેટલાક પર્સનલ ફોટા અપલોડ કરી દીધા. આ સાથે જ પ્રતિક્રિયાયા આવવા માંડી ત્યારબાદ દિગ્વિજય સિંહે સામે આવવુ પડ્યુ. 
આ તસ્વીરો સામે આવ્યા બાદ દિગ્વિજયે કહ્યુ કે મને અમૃતા રાવ સાથેના સંબંધો કબૂલવામાં કોઈ શરમ નથી. પણ હુ મારી પર્સનલ જીંદગીમાં દખલગીરીની નીંદા કરુ છુ. 
 
વાંચો પત્નીના અવસાન બાદ દિગ્વિજયે આશુને પ્રેમ સહિત લખ્યો માર્મિક પત્ર 
 
ઉલ્લેખનીય છે કે આ એ જ દિગ્વિજય છે જેમણે મોદી અને જશોદા બેન બાબતે ટીવી ચેનલો અને મીડિયામાં ખૂબ જ નિવેદનો આપ્યા હતા પણ હવે જ્યારે ખુદનો મામલો આવ્યો તો તેઓ તેને પર્સનલ જીવનમાં દખલગીરી બતાવી રહ્યા છે.  


દિગ્વિજય સાથે સંબંધો પર શુ કહે છે અમૃતા રાવ આગળ 
 
 

 
webdunia
રાજ્યસભા ટીવી પર એંકરના રૂપમાં કાર્ય કરતી અમૃતા રાયે પણ કબૂલ કર્યુ છે કે તેમના દિગ્ગી સાથે સંબંધો છે. તેમણે ટ્વિટર પર કહ્યુ કે હુ મારા પતિથી અલગ થઈ ચુકી છુ. અને અમે છુટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. છુટાછેડાના કાગળો પર સહી થઈ ગઈ છે.   દિગ્વિજય અને હુ લગ્ન કરવા જઈ રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati