ભારતીય સંસ્કૃતિને દેશ-વિદેશના પર્યટકો સમક્ષ અતિ ઉત્તમ રીતે પ્રસ્તૃત કરવાનો પ્રયાસ કરાયો છે. દોઢ કલાકના આ શોમાં દર્શકો તેનો પૂરેપૂરો આનંદ માણી શકે એ માટે હિન્દી, અંગ્રેજી સહિત વિવિધ આઠ ભાષાઓમાં આ કાર્યક્રમ તૈયાર કરાયો છે. 585 બેઠકોવાળા આ નાટ્યગૃહમાં દરેક બેઠક ઇયરફોનથી જોડાયેલી છે.
નાટ્યશાળાના આ પ્લેટફોર્મમાં રજુ થનાર આ મોડલ પાછળ કુશળ કારીગરોએ દસ વરસની મહેનત કરવી પડી છે. અત્યાધુનિક ઉચ્ચ સ્તરીય સરાઉંડ સાઉન્ડ સિસ્ટમવાળા કલાકૃતિ કલ્ચરલ એન્ડ કન્વેશન સેન્ટરનો ઉપયોગ આંતરાષ્ટ્રિય સંમેલનો, ગોષ્ઠી, પ્રોડક્ટ લોન્ચ તેમજ કોર્પોરેટ સેક્ટરની અન્ય બેઠકો માટે કરી શકાશે. આ નાટ્યશાળામાં 20 હજાર વ્યક્તિઓ બેસી શકે એવું વિશાળ જગ્યા પણ છે.