Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઠાકરે સુઇ ગયા હતા - ભાજપ

ઠાકરે સુઇ ગયા હતા - ભાજપ

વાર્તા

નવી દિલ્હી , બુધવાર, 25 ફેબ્રુઆરી 2009 (19:15 IST)
ભાજપ-શિવસેનાને લઇને ઉઠેલી અટકળો અંગે ખુલાસો કરતાં ભારતીય જનતા પાર્ટીએ આજે કહ્યું હતું કે, તેમની પાર્ટીના પ્રધાનમંત્રી પદના કથિત ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીએ શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેને મળવાની ઇચ્છા દર્શાવી હતી પરંતુ એ સમયે તેઓ સુઇ ગયા હતા.

ભાજપ પ્રવક્તા પ્રકાશ જાવડેકરે અડવાણીની મુંબઇ મુલાકાત દરમિયાન ઠાકરેને ન મળવાના મામલે ઉઠેલા વિવાદ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, ભાજપ અને શિવસેનાના સંબંધો વચ્ચે કોઇ તિરાડ નથી તેમજ આગામી બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીને લઇને બંને પક્ષોના ઉમેદવારોની બેઠકોની જાહેરાત કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, અડવાણી ગઇકાલે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેટલાક કલાકો માટે મંબઇ ગયા હતા. જ્યાં તેઓએ બાલાસાહેબ ઠાકરેને મળવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. પરંતુ બપોરના ત્રણ વાગ્યા હોવાથી તેઓ સુઇ ગયા હોવાનું તેમને કહેવામાં આવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati