Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જેલની પીડા ઘણા ઓછા જાણે- સંજય

જેલની પીડા ઘણા ઓછા જાણે- સંજય

ભાષા

હાવડા , સોમવાર, 27 એપ્રિલ 2009 (14:30 IST)
આર્મ્સ એક્ટ હેઠળ દોષી ઠેરવવામાં આવેલા અને જામીન પર બહાર સંજય દત્તે આજે કહ્યું કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ દોષી સાબિત થતો નથી તે નિર્દોષ છે.

ફિલ્મોમાંથી રાજનીતિમાં આવેલા સંજયે કહ્યું કે જેલમાં રહેવાનું દર્દ ઘણા ઓછા લોકો જાણે છે. તે 1993નાં મુંબઈ બોમ્બ વિસ્ફોટ કેસમાં આશરે બે વર્ષ સુધી ન્યાયિક અટકાયતમાં રહી ચૂક્યાં છે.

તાજેતરમાં સપાના મહાસચિવ નિયુક્ત કરવામાં આવેલા સંજય અહીં એક ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે તે 16 વર્ષના અતંરાલ બાદ ટાડા આરોપોથી મુક્ત થયાં. તેમજ સંજય દત્તે કોલકાતામાં પોતાની માતા નરગિસનો જન્મ થયો હતો,તે જગ્યાને પણ નિહાળી હતી.

Share this Story:

Follow Webdunia gujarati