Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જુનાગઢ પાસે અક્સ્માત ઉભી બસને ટક્કર મારી 7ની મોત

જુનાગઢ પાસે અક્સ્માત ઉભી બસને ટક્કર મારી 7ની મોત
, ગુરુવાર, 19 મે 2016 (11:57 IST)
જુનાગઢઃ જુનાગઢ પાસે આજે સવારે 6 વાગ્યાની હરિદ્વારની યાત્રા કરી પરત ફરી રહેલી ખાનગી બસને ટ્રકે પાછળથી ટ્ક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ બસમાં કુલ 50 મુસાફરો હતા , જેમાં અકસ્માતમાં કુલ 7 વ્યક્તિના મોત નીપજ્ય હતા અને  15 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
webdunia
મળતી માહિતી પ્રમાણે જુનાગઢના પાસે આજે 6 વાગ્યાની આસપાસ જેતપુર તાલુકાના વાડાસડા ગામના લોકો હરિદ્વારની યાત્રા પૂર્ણ કરી જુનાગઢ દામોદર કુંડમાં સ્નાન કરવા નીકળ્યા હતા, ત્યારે બસને વડાલ ગામ નજીક સાઈડમાં ઉભી રાખી હતી, ત્યારે અચાનક પાછળથી એક ટ્રકે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો, બસમાં કુલ 50 મુસાફરો હતા જેમાં એક મહિલા સહિત 7 વ્યક્તિના મોત નીપજ્ય હતા, ત્યારે 15 જેટલા મુસાફરો ઘાયલ થયા છે . ઘાયલોને સારવાર માટે જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારે જ્યારે અકસ્માત બાદ ટ્રક ડ્રાયવર ફરાર થાય ગયો છે અને જુનાગઢ તાલુકા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Live Commentary : વિધાનસભા ચૂંટણી પરિણામ, અમ્મા એંડ દીદી રિટર્નસં, અસમમાં ખીલ્યુ 'કમળ' તો કેરલમાં 'લાલ'