પાક સૈનિકોએ ગઇ કાલે સરહદ પર ફરી એકવાર ગોળીબારી કરી હતી. જેમાં ચાર ભારતીય જવાનો ઘાયલ થયા હતા તેમજ આ ગોળી બારી આંતકીઓને ઘુસણખોરી માટે કરવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ પ્રદેશમાં અખનુર સેક્ટરના કનાચક વિસ્તારમાં બી.એસ.એફની ચોકી ઉપર આજે સવારે ફરી વાર ગોળીબાર કર્યો હતો. જેમાં બી.એસ.એફના ચાર જવાનો ઘાયલ થયા હતા. પૂંચ જિલ્લાના સાબજીયાન વિસ્તારમાં અંકુશ રેખા પર પાકિસ્તાની સૈનિકો દ્વારા ગોળીબાર કર્યો હતો.
પાકિસ્તાની સૈનિકો તરફથી ગોળીબારના છત્ર હેઠળ મોટી સંખ્યામાં સશસ્ત્ર આંતકવાદીઓ ભારતીય પ્રદેશમાં ઘુસી ગયાના પણ ચોંકાવનારા અહેવાલ પણ મળ્યા છે. આતંકવાદીઓની ઘુસણખોરી બાદ સુરક્ષા દળોએ આ અંગે તપાસ હાથ ધરી છે.