ખરાબ મોસમને કારણે માતા વૈષ્નોદેવીની યાત્રા રોકી દેવામાં આવી. માતા વેષ્ણોદેવી સાઈન બોર્ડના એક્ઝીક્યુટિવ ઓફિસર ડો. મંદીપ ભંડારીએ કહ્યુ કે જે લોકો આ દિવ્સોની યાત્રા પર આવવા માંગી રહ્યા છે તેમણે હાલ અહી ન આવવુ જોઈએ.
તેમણે કહ્યુ કે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા કટરાથી લઈને માતાના ભવન સુધી 13 કિલોમીટરની યાત્રા રોકી દેવામાં આવી છે. વાતાવરણ સુધરતા યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.