Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોર્ટના નિર્ણય પછી શાંતિ જાળવી રાખજો - પ્રધાનમંત્રી

કોર્ટના નિર્ણય પછી શાંતિ જાળવી રાખજો - પ્રધાનમંત્રી
, બુધવાર, 29 સપ્ટેમ્બર 2010 (14:58 IST)
પ્રધાનમંત્રી મનમોહન સિંહે અપીલ કરી છે કે નિર્ણય આવ્યા પછી પણ શાંતિને જાળવી રાખજો.

મનમોહને મંગળવારે દેશવાસીઓને અપીલ કરી કે 30 સપ્ટેમ્બરના રોજ અયોધ્યા વિવાદ પર નિર્ણય આવ્યા પછી પણ શાંતિ અને સૌહાર્દને જાળવી રાખવી જોઈએ.

મનમોહન સિંહે એક પુસ્તક વિમોચન સમારંભના પ્રસંગ પર સંવાદદાતાઓને જણાવ્યુ, 'નિર્ણય ભલે જે પણ કંઈ હોય, પરંતુ હુ સમજુ છુ કે દરેકે દેશમાં શાંતિ, સૌહાર્દ અને ભાઈચારો બનાવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ ન્યાયાલયે આ વિવાદને ટાળવા માટે દાખલ કરવામાં આવેલ અરજીને રદ્દ કરી ઈલાહાબાદ હાઈકોર્ટને આ વિવાદ પર પોતાનો નિર્ણય આપવા માટે તમામ અવરોધો દૂર કર્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati