Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેજરીવાલે પુરૂ કર્યુ વચન, મહિનામાં 20 હજાર લીટર પાણી ફ્રી

કેજરીવાલે પુરૂ કર્યુ વચન, મહિનામાં 20 હજાર લીટર પાણી ફ્રી
નવી દિલ્હી. , સોમવાર, 30 ડિસેમ્બર 2013 (18:32 IST)
P.R
જે વચનો સાથે આમ આદમી પાર્ટી સત્તા સુધી પહોંચી, તેને પુર્ણ કરવામાં પાર્ટી લાગી ગઈ છે. પાર્ટીનું કહેવુ છે કે તેણે કોઈ અશક્ય વચન લોકોને આપ્યા નથી. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે જળ બોર્ડના અધિકારીઓની બેઠક બાદ પાર્ટીના મુખ્ય સભ્ય કુમાર વિશ્વાસ મીડિયાની સામે આવ્યા. તેમણે કહ્યુ કે જે વચન આપ્યુ હતુ તે નિભાવવા જઈ રહ્યા છીએ. દિલ્હીના લોકોને 1 જાન્યુઆરી 2014થી રોજ 700 લીટર પાણી મફત મળશે. તેમણે કહ્યુ કે મહિનામાં એક પરિવારને 20 હજાર લીટર પાણી મફત મળશે. આનાથી વધુ વાપરનારાઓને પાણીનુ બિલ ભરવુ પડશે.

અરવિંદ કેજરીવાલ હાલ અસ્વસ્થ છે. પણ છતા તેઓ આજે દિવસભર પોતાનું કામ કરતા રહ્યા. વિશ્વાસે પત્રકારોને કહ્યુ કે હવે ટૂંક સમયમાં જ વીજળીને લઈને કરવામાં આવેલ વચન પર પાર્ટી પોતાનો નિર્ણય લેશે.

બીજી બાજુ કોંગ્રેસના પ્રવક્તા મતીન અહમદનું કહેવુ છે કે આનાથી સરકારી ખજાના પર બોજો વધશે. જેનુ પરિણામ બીજી સ્કીમો પર પડશે. થોડા સમય પછી તેનુ ખોટુ પરિણામ સ્પષ્ટ જોવા મળશે.

Share this Story:

Follow Webdunia gujarati