Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેજરીવાલને 'પીએમ' ના ઉમેદવાર નહી બનાવે 'આપ'

કેજરીવાલને 'પીએમ' ના ઉમેદવાર નહી બનાવે 'આપ'
, શનિવાર, 4 જાન્યુઆરી 2014 (18:33 IST)
P.R
દિલ્હીની રાજનીતિમાં ધમાકેદાર એંટ્રી કરનારી આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીનું બિગુલ ફૂંકી દીધુ છે. પાર્ટીએ શનિવારે સ્પષ્ટ કર્યુ કે તેઓ લોકસભાની વધુમાં વધુ સીટો પર ચૂંટણી લડશે. કેજરીવાલને પીએમ કેંડીડેટ બનાવવાની ચર્ચાઓ પર પાણી રેડતા પાર્ટીએ કહ્યુ કે પીએમ ઉમેદવારનો નિર્ણય ચૂંટણીના પરિણામ પછી કરવામાં આવશે. કેજરીવાલ સૌથી મોટા નેતા છે... પણ પ્રશાંત ભૂષણે કહ્યુ કે આ અંગેનો નિર્ણય તો ચૂંટણી પછી જ કરીશુ.

જ્યારે આપ પાર્ટીનાં નેતા સંજય સિંહે કહ્યુ કે આવનારા એક મહિનામાં લોકસભા બેઠકોનું નિરિક્ષણ કરવામાં આવશે. સાથે જ તેમણે કહ્યુ કે આપ પાર્ટી જનતાનાં મુદ્દાઓને આધારે ચૂંટણી લડશે. ભાજપ અને કોંગ્રેસનાં નુકશાન અંગે તેમની પાર્ટીને કોઇ સંબંધ નથી

Share this Story:

Follow Webdunia gujarati