Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કસાબ મામલે મોદીની આલોચના

કસાબ મામલે મોદીની આલોચના

ભાષા

અમદાવાદ , શનિવાર, 24 જાન્યુઆરી 2009 (19:20 IST)
મુંબઇના આતંકવાદી હુમલા મામલે એકઠા કરાયેલા સબૂતો મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિવાદાસ્પદ ટીપ્પણીની પ્રદેશના ભાજપ નેતાઓ અને વિપક્ષી કોંગ્રેસે આજે આલોચના કરી હતી કે આ ટીપ્પણીથી પાકિસ્તાનને જવાબ આપવાનો મોકો મળ્યો છે.

પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સુરેશ મહેતાએ આજે કહ્યું હતું કે, કરાયેલી આ ટીપપ્ણી વણજોઇતી અને અયોગ્ય છે. કોઇને પણ મુખ્યમંત્રી દ્વારા આવી ટીપ્પણી કરાશે એવી આશા ન હતી.

મોદીના વિરોધી મહેતાએ પ્રેસને કહ્યું કે, મુખ્યમંત્રી પદની સાથે કેટલીક જવાબદારીઓ પણ હોય છે અને સૌથી પહેલા દેશનું હિત હોય છે. એક મુખ્યમંત્રીએ આવી વાકપટુતા ના કરવી જોઇએ.

Share this Story:

Follow Webdunia gujarati