Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કલ્યાણ, સપા દોસ્તી વિપરીત નહીં

કલ્યાણ, સપા દોસ્તી વિપરીત નહીં

ભાષા

લખનૌ , બુધવાર, 4 ફેબ્રુઆરી 2009 (16:14 IST)
પૂર્વ ભાજપ નેતા કલ્યાણસિંહ જે રીતે સમાજવાદી પાર્ટીની નજીક આવી રહ્યા છે એ જોતાં વિવિધ અટકળો ઉઠી રહી છે. જેને નકારતાં સપાના પ્રમુખ મુલાયમસિંહ યાદવે સ્પષ્ટતા કરી હતી કે, તેમને નથી લાગતું કે કલ્યાણ સપા દોસ્તીથી પાર્ટીની ધર્મનિરપેક્ષતાની છબિને કોઇ નુકશાન પહોંચે કે કોંગ્રેસ-સપા જોડાણને અસર થાય.

મુલાયમસિંહ યાદવે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મને કોઇ પણ એવી વાત જણાતી નથી કે જે વિપરીત અસર કરી શકે. કલ્યાણસિંહ અને સપાની દોસ્તીથી કોઇ પ્રતિકુળ નહી પરંતુ સારી અસર પડશે અને આ ગઠબંધનથી આગામી લોકસભામાં સાંપ્રદાયિક અને જ્ઞાતિવાદી તાકત ભાજપ અને બસપાન કમજોર બનાવશે.

Share this Story:

Follow Webdunia gujarati