Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આસામમાં ટ્રેન પાટા પરથી ઉતરતા 50થી વધુ લોકોને ઈજા

આસામમાં ટ્રેન પાટા પરથી ઉતરતા 50થી વધુ લોકોને ઈજા
ગુવાહાટી : , બુધવાર, 16 એપ્રિલ 2014 (11:21 IST)
આસામમાં આજે સવારે બે વાગ્યાની આસપાસ મોરીગાંવ નજીકના અજુરી સ્ટેશન પર 15666 બીજી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવા પામી હતી. આ દુર્ઘટનામાં 50થી વધુ લોકોને ઈજા પહોંચી છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં 17 પ્રવાસીઓ ગંભીર રીતે ઘવાયા છે. જેમને ગુવાહાટી મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગેની માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નંબર આપેલા છે. જે મુજબ દીમાપુરમાં 03862-228404, લુમદિંગમાં 03674-264848, 49, 50 અને ગુવાહાટીમાં 0361-2731621, 22, 23 છે.
 

Share this Story:

Follow Webdunia gujarati