Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાન પર મુખ્યમંત્રી તરીકે 28મી એ શપથ લેશે

અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાન પર મુખ્યમંત્રી તરીકે 28મી એ શપથ લેશે
, ગુરુવાર, 26 ડિસેમ્બર 2013 (00:07 IST)
P.R
અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે 28મી ડિસેમ્બરના રોજ શપથ લેશે. અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાન પર બપોરે 12 કલાકે શપથગ્રહણ કરશે. કેજરીવાલ સાથે અન્ય 6 કેબિનેટ કક્ષાના પ્રધાનો પણ શપથ લેશે. આ શપથગ્રહણ સમારંભમાં અણ્ણા હજારે, સંતોષ હેગડે અને કિરણ બેદીને આમંત્રણ મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અણ્ણા હજારેએ પહેલેથી જ પોતાની નાદુરસ્ત તબિયત હોવાને કારણે તેઓ દિલ્હી આવી શકે તેમ નહી હોવાનું જણાવી દીધું છે.

દિલ્હીમાં સરકારને લઇને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા કમઠાણના અંત સમાન અરવિંદ કેજરીવાલ 28 ડિસેમ્બરે રામલીલા મેદાન ખાતે દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કરશે. તો દિવસભરની ઘટનાક્રમમાં જેડીયુ નેતા શોએબ ઇકબાલે આપના નેતા અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી

Share this Story:

Follow Webdunia gujarati