Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અયોધ્યા મુદ્દો : અડવાણી ઠાકરેને હાઈકોર્ટની નોટિસ

અયોધ્યા મુદ્દો : અડવાણી ઠાકરેને હાઈકોર્ટની નોટિસ
નવી દિલ્લી. , શુક્રવાર, 4 માર્ચ 2011 (15:53 IST)
N.D
સર્વોચ્ચ ન્યાયાલયે શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણે, મુરલી મનોહર જોશી, શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરે સહિત કુલ 21 લોકોને અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ બાબતે નોટિસ રજૂ કરી છે.

આ નોટિસ કેન્દ્રીય તપાસ બ્યુરોની એ અરજી પછી આપવામાં આવી છે, જેમા તેણે આ 21 ભાજપા અને અન્ય હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલા નેતાઓને બાબરી મસ્જિદ તોડવાના ષડયંત્ર રચવાના આરોપમાં અભિયુક્ત બનાવવાની મંજૂરી માંગી હતી.

બાબરી વિધ્વંસ બાબતે સીબીઆઈએ સર્વોચ્ચ કોર્ટમાં રાયબરેલીની કોર્ટમાં એ નિર્ણયને પડકાર આપ્યો હતો, જેમા ભાજાઅ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત 20 નેતાઓન્મે બાબરી મસ્જિદના વિરુદ્ધ અપરાધિક ષડયંત્ર મુદ્દો નોંધવાની મંજૂરી નહોતી. સીબીઆઈએ અડવાણી ઉપરાંત આ બાબતે મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર અને બાળ ઠાકરેને પણ આરોપી બનાવ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે બાબરી વિધ્વંસ બાબતે નોધાયેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યુ હતુ કે મસ્જિદ તોડવા માટે આ તમામ લોકોએ અપરાધિક ષડયંત્ર રચ્યુ હતુ. જેના આધાર પર સીબીઆઈની હાઈકોર્ટે આ લોકો વિરુદ્ધ અપરાધિક કેસ ચલાવવાનો આદેશ માંગ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati