Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અન્નાની તબિયત ખરાબ, છાતીમાં દુ:ખાવો

અન્નાની તબિયત ખરાબ, છાતીમાં દુ:ખાવો
નવી દિલ્લી. , સોમવાર, 30 જાન્યુઆરી 2012 (12:42 IST)
PTI
સમાજસેવી અન્ના હજારે સ્વાસ્થ્ય ચેકઅપ માટે રવિવારે દિલ્લી પહોંચ્યા. ગુડગાવની મેદાંતા હોસ્પિટલમાં તેમની તપાસ થશે.

અન્ના હજારેના સ્વાસ્થ્યની દેખરેખ કરી રહેલ એક વરિષ્ઠ ડોક્ટરે આઈએનએસને જણાવ્યુ, 'અન્ના હજારેને છાતીમાં સુજન અને દુ:ખાવો છે. ડોક્ટરોનું એક દળ તેમના લોહીની તપાસ કરશે. સાથે જ ઈસીબી અને તેમના હ્રદયની સ્થિતિને જોવા માટે કેટલાક અન્ય પરીક્ષણ પણ કરવામાં આવશે.

અન્ના(74)એ ડિસેમ્બરના છેલ્લા વીકમાં મુંબઈમાં બે આમરણ ઉપવાસ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના સહયોગીઓ મુજબ, તેમના શરીરમાં એંટિબાયોટિકે પ્રતિકૂળ અસર કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અન્ના મેદાંતા હોસ્પિટલમાં બે દિવસ રહેશે, ત્યારબાદ તેમને બેંગલુરુના જિંદલ નેચરકેયર ઈંસ્ટીટ્યુટમાં લઈ જવામાં આવશે.

ડોક્ટરે જણાવ્યુ કે તેમની રિપોર્ટ સોમવારે આવશે, ડો. નરેશ ત્રેહન તેમના સ્વાસ્થ્યની દેખરેખ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati