Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અડવાણી. અમિતાભ અને રામદેવને પદ્મ વિભૂષણ

અડવાણી. અમિતાભ અને રામદેવને પદ્મ વિભૂષણ
નવી દિલ્હી. , શુક્રવાર, 23 જાન્યુઆરી 2015 (12:30 IST)
ભારત સરકારે ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન .. શ્રી શ્રી રવિશંકર અને યોગ ગુરૂ બાબા રામદેવને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરી છે.  એક અંગ્રેજી છાપા મુજબ ભાજપાના નિકટના કહેવાતા રામદેવ. રામદેવ અને આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિ શંકરને ગણતંત્ર દિવસના અવસર પર પદ્મ સન્માન આપી શકાય છે. 
 
સાથે જ રજનીકાંત અને પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલને પણ સરકાર પદ્મ પુરસ્કારથી સન્માનિત કરી શકે છે. છાપા મુજબ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ 148 લોકોની યાદીમાં રાજનીતિના ક્ષેત્રથી અડવાણી અને બાદલ જ માત્ર બે વ્યક્તિ છે.  આ ઉપરાંત અભિનેતા દિલીપ કુમાર. ફિલ્મકાર સંજય લીલા ભંસાલી. એડ ગુરૂ પ્રસુન જોશી. સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાનનુ નામ પણ આ લિસ્ટમાં છે. 
 
રમતના ક્ષેત્રથી હોકી ટીમના કપ્તાન સરદાર સિંહ. બેડમિંટન ખેલાડી પીવી સિંધુ. શતરંજના ખેલાડી ગ્રેંડમાસ્ટર શશિકરણ કૃષ્ણન. પહેલવાન સુશીલ કુમાર અને તેમના કોચ સત્યપાલ સિંહનુ પણ નામ છે.  મીડિયાની દુનિયા સાથે રજત શર્મા. સ્વપન દાસગુપ્તા. હરિ શંકર વ્યાસ અને દિવંગત અભિનેતા પ્રાણને પણ સન્માનિત કરવામાં આવશે.  

Share this Story:

Follow Webdunia gujarati