Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કંદીલ બલોચની લાશને જોઈને માતા-પિતાના ચોધાર આંસુએ રડી પડ્યા

કંદીલ બલોચની લાશને જોઈને માતા-પિતાના ચોધાર આંસુએ રડી પડ્યા
, સોમવાર, 18 જુલાઈ 2016 (14:19 IST)
નવભારત ટાઈમ્સ મુજબ જ્યારે કંદીલ બલોચનુ પાર્થિવ શરીર તેમના ઘરે પહોચ્યુ તો તેમની માતાના રડી રડીને ખરાબ હાલ થયા હતા.  કંદીલનુ પાર્થિવ શરીર જ્યારે તેના ગામ પહોંચ્યુ તો ત્યા લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.  ઘરની સ્ત્રીઓએ સ્થાનીક પરંપરા મુજબ કંદીલના હાથ અને પગમાં મેંહદી લગાવી. આ અવસર પર કંદીલના મોટા ભાઈ અને બે બહેનો જેમના લગ્ન થઈ ગયા છે તેઓ પણ હાજર હતી. 
કંદીલની માતા રડી રડીને અધમરી થઈ ગઈ છે. તે સતત પોતાની પુત્રીના હાથને ચુમતી રહી. કંદીલના પિતાએ કહ્યુ કે તે મારી પુત્રી નહી પુત્ર હતી. મે એક પુત્ર ગુમાવ્યો છે. મારા પુત્ર તેની ઉપલબ્ધિથી ખુશ નહોતા. તેની મદદ કરવા છતા તેઓ તેના વિરુદ્ધ હતા. 
 
કંદીલના પિતા મોહમ્મદ અજીમે દાવો કર્યો હતો કે તેમના નાના ભાઈ વસીમે તેમની હત્યા શાન ના નામે કરી છે.  પોતાની ફરિયાદમાં કંદીલના પિતાએ કહ્યુ કે તેની પુત્રી કરાચીથી મુલ્તાન પરિવાર સાથે ઈદ ઉજવવા આવી હતી.  14 જુલાઈના રોજ વસીમ(25) પણ તેને મળવા આવ્યો હતો.  તેમણે કહ્યુ કે વસીમે આટલુ મોટુ પગલુ તેના ભાઈ મોહમ્મદ અસલમ શાહીનના કહેવા પર ઉઠાવ્યુ છે. 
webdunia
કંદીલના ગામના લોકોએ આ હત્યાની નિંદા કરી. ગ્રામીણોએ આને બર્બરતા બતાવી. મુલ્તાનની એક મહિલા જે કંદીલ પાસે રહેતી હતી  તેણે ડૉનને કહ્યુ કે મૃતકાએ વસીમ માટે મારી પુત્રીનો હાથ માંગ્યો હતો.  વિશ્વાસ નથી થઈ રહ્યો કે વસીમે તેની હત્યા કરી.  કારણ કે કંદીલ તેના લગ્ન માટે વાત કરી રહી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સિંહ સાથે સેલ્ફી જાડેજાએ ફોન પર નિવેદન આપ્યું,