Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

WHOએ માન્યુ, દુનિયામાં આવી ચુકી છે કોરોનાની ત્રીજી લહેર, ડેલ્ટા વાયરસને બતાવ્યો ખતરનાક

WHOએ માન્યુ, દુનિયામાં આવી ચુકી છે કોરોનાની ત્રીજી લહેર, ડેલ્ટા વાયરસને બતાવ્યો ખતરનાક
, ગુરુવાર, 15 જુલાઈ 2021 (20:01 IST)
ભારતમાં ભલે જ કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકાઓ જાહેર કરવામાં આવી રહી છે, પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનુ કહેવુ છે કે ત્રીજી લહેર આવી ચુકી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના મુખિયા ટેડ્રોસ અઘાનોમ ગેબ્રેયેસસએ બુધવારે કહ્યુ કે કોરોના સંક્રમણની ત્રીજી લહેર પોતાના શરૂઆતી તબક્કામાં છે. દુનિયાભરમાં કોરોના કેસ અને મોતના આંકડા એકવાર ફરીથી વધવાને લઈને ચેતાવણી રજુ કરતા તેમણે આ વાત કરી. ટેડ્રોસે કહ્યુ, દુર્ભાગ્યથી અમે કોરોના સંક્રમણની ત્રીજી લહેરના પ્રારંભિક ગાળામાં છીએ.  દુનિયામાં કોરોના સંકટનો સામનો કરવા માટે બનાવેલ ઈમરજેંસી કમિટીને સંબોધિત કરતા WHOના મુખિયાએ આ વાત કરી. 
 
તેમણે કહ્યુ કે એકવાર ફરીથી દુનિયાભરમાં કોરોના કેસમાં ફાયદો થતો દેખાય રહ્યો છે. ટેડ્રોસે કહ્યુ કે ગયા અઠવાડિયે સતત આવુ ચોથુ અઠવાડિયુ હતુ. જ્યારે કોરોના કેસમાં કમી જોવા મળી હતી. પણ હવે વધારો શરૂ થઈ ગયો છે. આ ઉપરાંત મોતનો આંકડો પણ સતત 10 અઠવાડિયાના ઘટાડા પછી વધતો દેખાય રહ્યો છે.  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફે પણ વધતા કેસોનુ કારણ સોશિયલ ડિસ્ટેસિંગ, માસ્ક પહેરવાના નિયમોનુ પાલન ન થવુ બતાવ્યુ છે.  ઉલ્લેખનીય છે કે ગુરૂવારે ભારતમાં નવા કેસોનો આંકડો 40000 ને પાર પહોચી ગયો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Grain ATM- શહેરમાં લાગ્યુ દેશનો પ્રથમ ગ્રેન ATM હવે કલાકો લાઈનમાં લાગવાથી મળશે છુટકારો