Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે આતંકવાદીઓએ પાક પીએમ અને અન્ય નેતાઓનાના બાળકોને મારવાની ધમકી આપી

હવે આતંકવાદીઓએ પાક પીએમ અને અન્ય નેતાઓનાના બાળકોને મારવાની ધમકી આપી
પેશાવર. , શનિવાર, 20 ડિસેમ્બર 2014 (12:12 IST)
પાકિસ્તાનના પેશાવરમાં સેના દ્વારા સંચાલિત એક શાળા પર તહરીક-એ-તાલિબાનના આતંકવાદીઓએ 132 વિદ્યાર્થીઓ સહિત 141 લોકોને માર્યા પછી પીએમ નવાજ શરીફને ચેતાવણી આપી છે કે જો તેઓ આતંકવાદીઓએન ફાંસી આપવાના નિર્ણય પર કાયમ રહ્યા તો તેમના પરિવાર સહિત બીજા નેતાઓ અને સૈન્ય અધિકારીઓના બાળકોને પણ મારી નાખવામાં આવશે. 
 
પાકિસ્તાની અધિકારીઓને  આ ધમકી એક લેટર દ્વારા શુક્રવારે સાંજે મળી. આ લેટર મોહમ્મદ ખરસાનીની તરફથી મોકલવામાં આવ્યો હતો. જેને તહરીક-એ-તાલિબાન પ્રમુખ મુલ્લા ફજલુલ્લાના ટોપ કમાંડર માનવામાં આવે છે. આ લેટરમાં લખવામાં આવ્યુ છે કે જો જેલમાં બંધ કોઈપણ આતંકીને ફાંસી થાય છે તો સેનાના જનરલો અને નેતાઓના ઘરોમાં ખૂબ જ શોક મનાવવામાં આવશે. હવે પાકિસ્તાન સરકાર એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આ લેટર અસલી છે કે નકલી  ? 

Share this Story:

Follow Webdunia gujarati