rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video - મક્કા થી મદીના જઈ રહેલી બસ ટેંકર સાથે અથડાતા 42 ભારતીય જીવતા ભુંજાયા, હેલ્પ લાઈન નંબર જાહેર, પીએમ મોદીએ દુ:ખ

Saudi Arabia Accident
, સોમવાર, 17 નવેમ્બર 2025 (13:09 IST)
Saudi Arabia Accident
Saudi Arabia Accident  : સાઉદી અરેબિયામાં એક ભયાનક બસ અકસ્માતમાં 42  ભારતીય યાત્રાળુઓના મોત થયા છે. અહેવાલો દર્શાવે છે કે ભારતથી ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી, જેના કારણે બસમાં આગ લાગી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, "મદીનામાં ભારતીય નાગરિકો સાથે થયેલા અકસ્માતથી મને ખૂબ જ દુઃખ થયું છે. મારા સંવેદના એ પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે."
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માત સાઉદી સમય મુજબ રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો. બસમાં સવાર મોટાભાગના મુસાફરો તેલંગાણા રાજ્યના હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માતમાં ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો મક્કાથી પરત ફરી રહ્યા હતા અને મદીના જઈ રહ્યા હતા.
 
 અમારા અધિકારી સઉદી અરબના અધિકારીઓની સાથે નિરંતર સંપર્કમા છે - પીએમ 
 પીએમ મોદીએ પોસ્ટ કર્યું, "મદીનામાં ભારતીય નાગરિકો સાથે થયેલા અકસ્માતથી મને ખૂબ જ દુઃખ થયું છે. મારા સંવેદના એ લોકોના પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું બધા ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રિયાધમાં અમારું દૂતાવાસ અને જેદ્દાહમાં કોન્સ્યુલેટ જનરલ શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. અમારા અધિકારીઓ સાઉદી અરેબિયાના અધિકારીઓ સાથે પણ સતત સંપર્કમાં છે."
 
સાઉદી અરેબિયામાં બસ અકસ્માત, 42 ભારતીયો સવાર હતા, દિલ્હી અને જેદ્દાહમાં હેલ્પલાઇન નંબર જાહેર 
જેદ્દાહમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ ઓફિસમાં 24X7 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
 
8002440003 (Toll free)
 
0122614093
 
0126614276
 
0556122301 (WhatsApp) 
 
તેલંગાના ભવનમાં કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે.  અધિકારીઓના નંબર અહી આપેલા છે 
 
વંદના - મોબાઈલ  
 
  +91 98719 99044
ચૌધરી ચક્રવર્તી - મોબાઈલ  - +91 99583 22143
રક્ષિત નીલ  મોબાઈલ - +91 96437 23157
 
બસમાં સવાર બધા લોકોનુ લિસ્ટ આવ્યુ સામે 
સોમવારે સાઉદી અરેબિયાના મદીના નજીક ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતાં અને આગ લાગી જતાં ઓછામાં ઓછા 42 ભારતીયોના મોતની આશંકા છે. અહેવાલો અનુસાર, બસમાં 46 લોકો સવાર હતા, જેમાંથી 42 લોકોના મોતની આશંકા છે.

 
સઉદીમાં દિલ દહેલાવી નાખનારી દુર્ઘટના મદીના જઈ રહેલી બસમાં લાગી આગ  જુઓ વીડિયો 
સોમવારે સાઉદી અરેબિયાના મદીના નજીક ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતાં અને આગ લાગી જતાં ઓછામાં ઓછા 42 ભારતીયોના મોતની આશંકા છે.




Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bhavnagar Crime News 10 દિવસથી ગાયબ ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બે બાળકોની મળી લાશ, ગુમ થવાની ફરિયાદ કરનાર પતિ નીકળ્યો હત્યારો