Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સર્જીકલ સ્ટ્રાઈક પર દાઉદ ઈબ્રાહીમના વેવાઈ જાવેદ મિયાંદાદ ભારત સાથે યુદ્ધ કરવા તૈયાર છે

સર્જીકલ સ્ટ્રાઈક પર દાઉદ ઈબ્રાહીમના વેવાઈ જાવેદ મિયાંદાદ ભારત સાથે યુદ્ધ કરવા તૈયાર છે
ઈસ્લામાબાદ. , મંગળવાર, 4 ઑક્ટોબર 2016 (14:34 IST)
ભારતના સર્જીકલ સ્ટ્રાઈક પર અંડરવર્લ્ડ ડૉન દાઉદના વેવાઈ અને પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર જાવેદ મિયાંદાદે  પણ  ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે સોમવારે એક પાકિસ્તાન ન્યૂઝ ચેનલમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત વિરુદ્ધ ભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે. તેમણે એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર ભારત-પાકિસ્તાનના સંબંધો પર નિવેદન આપતા ભારતીય કોમને કમજોર બતાવી અને યુદ્ધ માટે લલકારી. 
 
જાવેદ મિયાંદાદે કહ્યુ કે અમે તો તૈયાર બેસ્યા છે આ વસ્તુઓ માટે... પાકિસ્તાનનો બાળક બાળક જાણે છે કે જો તેને મોત મળે.. શહીદી મળે તો આ રીતે મળે.. હુ પણ એ માટે તૈયાર બેસ્યો છુ.  આમને તો જૈસે કો તૈસાના અંદાજમા જવાબ આપવો જોઈએ. તેમણે કહ્યુ કે ભારત તો ખૂબ ડરેલી કોમ છે.  તેમની કોઈ સેના પણ નથી. આ પ્રકારના નિવેદનની ભારતમાં ખૂબ આલોચના થઈ રહી છે.  ઉલ્લેખનીય છે કે જાવેદ મિયાંદાદ પાકિસ્તાન જ નહી દુનિયાના ટૉપ ક્રિકેટરોમાંથી એક છે. તેમને ભારત વિરુદ્ધ પણ અનેક મેચ રમી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ નવરાત્રિ પર લેવું છે Smartphone તો આ છે બેસ્ટ 5 ઑફર્સ