Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નેપાળમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 5 લોકોના મોત, જાણો કેવી રીતે થયો અકસ્માત

nepal plane crash
, બુધવાર, 7 ઑગસ્ટ 2024 (18:02 IST)
નેપાળની રાજધાની કાઠમંડુની બહાર નુવાકોટના શિવપુરી નેશનલ પાર્કમાં બુધવારે (07 ઓગસ્ટ) એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. એપીના અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ પાંચ નાગરિકોના મોત થયા છે.
 
સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે હેલિકોપ્ટર કાઠમંડુથી રવાના થયું હતું અને સ્યાફ્રાઉબેન્સી તરફ જઈ રહ્યું હતું. ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તાએ માહિતી આપી હતી કે વિમાને બુધવારે (07 ઓગસ્ટ) બપોરે 1:54 કલાકે કાઠમંડુથી ઉડાન ભરી હતી અને તેના ગંતવ્ય સ્થાને પહોંચતા પહેલા જ અકસ્માત થયો હતો.
 
ચાર ચીની નાગરિકોના મોત
નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, વિમાન દુર્ઘટનામાં ચાર ચીની નાગરિકોના પણ મોત થયા છે, એવું કહેવામાં આવ્યું હતું કે એર ડાયનેસ્ટીના 9N-AZD હેલિકોપ્ટરમાં ચાર ચીની નાગરિકો સહિત કુલ પાંચ લોકો સવાર હતા. અકસ્માતની માહિતી મળ્યા બાદ નેપાળ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
 
ત્રણ મિનિટ પછી સંપર્ક તૂટી ગયો
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ માય રિપબ્લિકા અખબારને ટાંકીને જણાવ્યું હતું કે પોલીસે નુવાકોટની શિવપુરી ગ્રામીણ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં અકસ્માત સ્થળ પરથી પાંચ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને તેમની ઓળખ કરી હતી. ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એર ડાયનેસ્ટીના 9N-AJD હેલિકોપ્ટરનો ટેકઓફની ત્રણ મિનિટ બાદ જ સંપર્ક તૂટી ગયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vinesh Phogat- તેના વાળ કપાવવા, લોહી કાઢયુ, જોગિંગ અને સાયકલ ચલાવવી, વજન ઘટાડવાના વિનેશના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા.