Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાપાન પોલીસે સ્વીકાર્યું, શિન્ઝો એબેની સુરક્ષામાં હતી ત્રુટિઓ

જાપાન પોલીસે સ્વીકાર્યું, શિન્ઝો એબેની સુરક્ષામાં હતી ત્રુટિઓ
, રવિવાર, 10 જુલાઈ 2022 (13:00 IST)
જાપાનના પૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબેની હત્યા બાદ જાપાન પોલીસે સ્વીકાર્યું છે કે તેમની સુરક્ષામાં ખામી હતી.
 
ગોળી વાગ્યા બાદ તેમને કાર્ડિયાક ઍરેસ્ટ પણ આવ્યો. ત્યાર બાદ હૉસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.
 
નારા પોલીસ પ્રમુખ તુમોઆકી ઓનિજુકાએ કહ્યું, "આ વાતથી ઇનકાર કરી શકાય નહીં કે સુરક્ષામાં સમસ્યા હતી."
 
શિન્ઝો એબે પર ચૂંટણીપ્રચાર દરમિયાન થયેલા આ હુમલાએ સમગ્ર જાપાનને હચમચાવી નાખ્યું છે. પોલીસનું કહેવું છે કે 41 વર્ષીય તેત્સુયા યામાગામી એક 'વિશેષ સંસ્થા' સાથે બદલો લેવા માગતો હતો.
 
જાપાની મીડિયા સૂત્રોને ટાંકીને લખે છે કે યામાગામીનું માનવું હતું કે એક ધાર્મિક સમૂહે તેમની માતાને આર્થિક રીતે બરબાદ કરી નાખી હતી. તેમના મુજબસ શિન્ઝો એબે પણ આ ધાર્મિક સમૂહ સાથે જોડાયેલા છે.
 
વળી રવિવારે જાપાનમાં અપર હાઉસ માટે રવિવારે મતદાન યોજાશે. એબેની હત્યા બાદ પણ ચૂંટણી રાબેતા મુજબ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત સહીત દેશના કેટલાય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી