Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું એપોલો હોસ્પિટલમાં મોડી રાત્રે અવસાન, સમર્થકોનો હંગામો

તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું એપોલો હોસ્પિટલમાં મોડી રાત્રે  અવસાન,  સમર્થકોનો હંગામો
, મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (00:03 IST)
તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા  આજે રાત્રે 11-30 કલાકે અવસાન પામ્યા છે તેઓ 68 વર્ષના હતા;એપોલો હોસ્પિટલે મોડી રાત્રે સત્તાવાર જાહેર કર્યું હતું.  પક્ષના ધારાસભ્યોને સંબોધતા પન્નીરસેલ્વમે જણાવ્યું હતું કે તે અમ્માના ઉત્તરાધિકારી છે. તેઓ છેલ્લા 75 દિવસથી અપોલો હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

જયલિલતાને 22 સપ્ટેમ્બરે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે સાંજે તેમની પાર્ટી AIADMK જાહેર કર્યું હતું કે જયલલિતા સંપૂર્ણપણે રિકવર કરી ચૂક્યા છે, પરંતુ અમુક કલાકો બાદ તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો હોવાનું બહાર આવતા ફરી વખત ICCUમાં શિફ્ટ કરવામાં આવ્યા. સોમવારે સાંજે તમિલ મીડિયા દ્વારા તેમના નિધનના સમાચાર આપવામાં આવ્યા હતા અને પાર્ટીનો ઝંડો પણ ઝુકાવી દેવામાં આવ્યો, પરંતુ હોસ્પિટલે આ દાવાઓને ખારીજ કર્યા. લગભગ 24 કલાક સુધી જયલલિતાના સ્વાસ્થ્યને લઇને સસ્પેન્સ જારી રહ્યું હતું. નિધનની ઘોષણા બાદ એવું માનવામાં આવી રહ્યું છેકે જયલિલતા સરકારમાં ફાયનાન્સ મિનિસ્ટર રહેલા ઓ. પન્નીરસેલ્વમ તમિલનાડુના આગામી મુખ્યમંત્રી હશે
 
webdunia
ચાલી રહી હતી. નિધનની ખબર મળતા જ હોસ્પીટલની બહાર સમર્થકોએ હંગામા શરૂ કરી દીધું છે. લોકોની પોલીસથી ભિંડત થઈ રહી છે. ત્યાં પાર્ટીએ તેમનો ધ્વજ ઝુકાવી દીધા છે. 
 
જયલલિતાએ દિલના દોરા પડ્યા પછી ફરીથી અપોલી હોસ્પીટલના સીસીયૂમાં હાર્ટ અસિસ્ટ ડિવાઈસ પર રાખ્યું હતું.  સોમવારે સવારે એંજિયોસ્પ્લાસ્ટી પણ તેને બચાવી નહી શક્યા. જયલલિતા પાછલા 73 દિવસથી અપોલોમાં ભરતી હતી અને રવિવારે જ પાર્ટીની તરફથી પૂરી રીતે ઠીક થવાની ખબર પણ આવી હતી. 
જયલલિતાના સ્વાસ્થયને લઈને અપોલો હોસ્પીટલએ લંદનના ડોક્ટર રિચર્ડથી સંપર્ક કર્યા હતા અને દિલ્હીના એમ્સથી ડાક્ટરોની એક ટીમ પણ ચેન્નઈ માટે રવાના કરાઈ હતી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જયલલિતા વિશે જાણવા જેવુ - જયલલિતાને જોવા મચેલી ભગદડમાં મર્યા હતા 50 લોકો, નોકરની જુબાનીથી ગઈ હતી જેલ