Publish Date: Tue, 29 Jul 2025 (07:28 IST)
Updated Date: Tue, 29 Jul 2025 (07:40 IST)
ભારતના પાડોશી દેશ ચીનમાં એક મોટી કુદરતી આફતના સમાચાર સામે આવ્યા છે. ચીનના સરકારી મીડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચીનની રાજધાની બેઇજિંગ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર આવ્યું છે. આ પૂર અને વરસાદને કારણે અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા છે.
80000 લોકોને સ્થળાંતરિત કરાયા
CNN એ ચીનના રાજ્ય મીડિયા દ્વારા આપવામાં આવેલી માહિતીનો ઉલ્લેખ કર્યો છે કે બેઇજિંગના ઉત્તરીય ક્ષેત્રમાં ઘણા દિવસોથી ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે ૩૦ લોકોનાં મોત થયા છે. ચીનની રાજધાનીમાં ૮૦,૦૦૦ થી વધુ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. આ વિસ્તારના ડઝનબંધ રસ્તાઓને નુકસાન થયું છે અને ૧૩૬ ગામોમાં વીજળી કાપી નાખવામાં આવી છે.
શી જિનપિંગે અધિકારીઓને આપ્યો આદેશ
માહિતી અનુસાર, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બેઇજિંગ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા વિનાશની નોંધ લીધી છે. તેમણે અધિકારીઓને ગુમ થયેલા લોકોને શોધવા અને બચાવવા, વિસ્થાપિત લોકોને યોગ્ય રીતે વસાવવા અને મૃત્યુઆંક ઘટાડવા માટે તમામ પ્રયાસો કરવા સૂચના આપી છે.