Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સીરિયાની રાજધાનિ દમાસ્કસ પર ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત

સીરિયાની રાજધાનિ દમાસ્કસ પર ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત
, રવિવાર, 19 ફેબ્રુઆરી 2023 (16:44 IST)
સીરિયાએ કહ્યું છે કે ઈઝરાયેલે તેની રાજધાની દમાસ્કસ અને તેની આસપાસના વિસ્તારો પર કરેલા હુમલામાં ઓછામાં ઓછા 13 લોકો મૃત્યુ પામ્યા છે.
 
આ હુમલામાં 28 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.
 
સરકારી ટીવી પર દેખાડવામાં આવેલા વીડિયોમાં ક્ષતિગ્રસ્ત દશામાં એક 10 માળની ઇમારતને બતાવવામાં આવી છે.
 
ઈઝરાયેલે જે વિસ્તારમાં હુમલા કર્યા છે, ત્યાં સુરક્ષાના ભારે બંદોબસ્ત ધરાવતા રહેણાંક પરિસર છે. આ વિસ્તારમાં વસતી ઘનતા વધારે છે.
 
સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર, ઈઝરાયેલે આ હુમલા પર પોતાનું નિવેદન આપવાથી ઇનકાર કર્યો છે.
 
ઈરાન અને હિઝબુલ્લા વિદ્રોહીઓથી જોડાયેલાં સીરિયાના વિસ્તારો પર ઈઝરાયેલ નિયમિત હુમલો કરતો રહ્યો છે. જોકે, તેણે ખૂબ જ ઓછી વખત પોતાની કાર્યવાહીને સ્વીકારી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

INDvsAUS: દિલ્હી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે રવીન્દ્ર જાડેજાનો તરખાટ સાત વિકેટો ઝડપીને ઑસ્ટ્રેલિયાને 113 રનમાં સમેટી લીધું