Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોમાલિયામાં વિસ્ફોટમાં, 15ના મોત

સોમાલિયામાં વિસ્ફોટમાં, 15ના મોત
મોગાદિશૂ , બુધવાર, 1 સપ્ટેમ્બર 2010 (11:47 IST)
સોમાલિયામાં બે બસોને નિશાન બનાવીને કરવામાં આવેલ વિસ્ફોટમાં 15 લોકો મૃત્યુ પામ્યા છે. સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં મંગળવારે બે યાત્રી બસને નિશાન બનાવેને બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકોનુ મોત થઈ ગયુ. જ્યારે કે 30 અન્ય ઘાયલ થઈ ગયા છે.

સોમાલિયાઈ સેનાના એક કમાંડર નૂર હસને જણાવ્યુ કે બંને બસોમાં સવાર કુલ 15 લોકોનુ મોત થઈ ગયુ છે. જેમા 30 લોકો ઘાયલ થઈ ગયા, જેમને સારવાર માટે મોગાદિશુના વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ વિસ્ફોટોની અત્યાર સુધી કોઈ પણ સંગઠને જવાબદારી લીધી નથી. જો કે સરકારી સુરક્ષા બળોએ આને માટે ચરમપંથીઓને જવાબદાર ઠેરવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati