કાહિરા. મિસ્રમાં બુધવારે એક રેલગાડી સાથે ત્રણ વાહન ટકરાતાં સર્જાયેલા અકસ્માતમાં 37ના મોત થયા છે. જ્યારે અન્ય 38ને ઇજાઓ થઇ છે.
સુરક્ષા અધિકારીના જણાવ્યા મુજબ ઉત્તરી વિસ્તારમાં એક રેલવે ક્રોસિંગ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અહીં ઉભી રહેલી એક બસ તથા કારને પાછળથી આવેલી ટ્રકે ટક્કર મારતાં આ વાહનો રેલ બસ સાથે ટકરાયા હતા.
આ ટક્કર એટલી બધી જોરદાર હતી કે રેલ બસના ત્રણ ડબ્બા પાટા ઉપરથી નીચે ઉતરી ગયા હતા. બે ડબ્બા એક બીજા ઉપર ચડી ગયા હતા. આ અકસ્માતને પગલે 37 લોકોના મોત થયા હતા જ્યારે 38ને ઇજાઓ થઇ છે.