Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મનમોહન સિંહને નથી કહ્યુ 'ગામડિયણ સ્ત્રી' - નવાઝ શરીફ

મનમોહન સિંહને નથી કહ્યુ 'ગામડિયણ સ્ત્રી' - નવાઝ શરીફ
નવી દિલ્હી. , સોમવાર, 30 સપ્ટેમ્બર 2013 (11:57 IST)
P.R
પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાજ શરીફે ભારતીય પ્રધાનમંત્રી મનમોહન સિંહને ગામડિયણ સ્ત્રી કહેવાના મુદ્દા પર નવાઝ શરીફે સ્પષ્ટતા કરી છે. વિવાદથી નારાજ નવાઝ શરીફે મનમોહન સિંહને સંદેશ મોકલીને સ્પષ્ટતા આપી કે તેમણે આવી ભાષાનો ઉપયોગ નથી કર્યો. પાક વિદેશ સચિવ જલીલ અબ્બાસ જિલાનીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવ શંકર મેનનની સામે પાકિસ્તાનનો પક્ષ મુક્યો.

બીજી બાજુ ગામડિયણ સ્ત્રીવાળા નિવેદન પર ભારતમાં મચેલ બબાલ પછી જિયો ટીવીના હામિદ મીર બેકફુટ પર જોવા મળ્યા. તેમણે સફાઈ આપી કે નવાઝ શરીફે મનમોહન સિંહ વિરુદ્ધ કોઈ આપત્તિજનક ટિપ્પણી નથી કરી. આ વિવાદાસ્પદ નિવેદન પાછળ પાકિસ્તાનના ન્યૂઝ ચેનલ જિયો ટીવીના એડીટર ઈન ચીફ હામિદ મીર છે. તેમણે પોતાની ચેનલને ફોન પર કહ્યુ હતુ કે નવાઝ શરીફે મનમોહન સિંહને ગામડિયણ સ્ત્રી કહ્યુ છે. મીર એક ભારતીય પત્રકાર ત્યા હોવાનાનો પણ દાવો કરી રહ્યા હતા. આ પહેલા નવાઝ શરીફના પરિવાર તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી. પરિવારે કહ્યુ કે નવાઝ શરીફ ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહનુ ખૂબ સન્માન કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati