રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીનું સ્વાગત બ્રિટેનના શહર બર્મિંઘમમાં પીપીપી ના એક અધિવેશનમાં જૂતાથી થયું
, રવિવાર, 8 ઑગસ્ટ 2010 (17:56 IST)
PR
P.R
ઇસ્લામાબાદ: પાકિસ્તાની મિડિયામાં આવી એક ખબરના અનુસાર રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીનું સ્વાગત બ્રિટેનના શહર બર્મિંઘમમાં પીપીપી ના એક અધિવેશનમાં જૂતાથી થયું. પણ તે બચી ગયા.
બીજી બાજુ રાષ્ટ્રપતિના સહાયક અધિકારી આ વાત પર જોર આપી રહ્યા છે કે જરદારીની બ્રિટેન યાત્રાના દરમ્યાન આવો કોઈ વાકયો નથી થયો.
ખબરોંના અનુસાર જૂતો જરદારીને નથી લાગ્યો તથા સુરક્ષાકર્મિયોંએ પ્રદર્શનકારી વ્યક્તિ ને તે સ્થાનથી બાહર કાઢી મુક્યું, જ્યાં રાષ્ટ્રપતિ પીપીપી ના એક અધિવેશન ને સંબોધિત કરી રહ્યા હતાં.
રાષ્ટ્રપતિના પ્રવક્તા ફરહતુલ્લા બાબરએ કીધુ કે રાષ્ટ્રપતિએ 45 મિનટમાં ભાષણ પૂરૂ કર્યું હતું અને સભાગારમાં ઉપસ્થિત પીપીપી કાર્યકર્તાઓંએ તેની જબરદસ્ત પ્રશંસા કરી હતી.