નમાજ અદા કરી રહેલ 44 લોકોને ગોળી મારી !!
, મંગળવાર, 13 ઑગસ્ટ 2013 (11:53 IST)
ઉત્તરપૂર્વી નાઈજીરિયામાં શંકાસ્પદ ઈસ્લામી આતંકવાદીઓએ એક મસ્જિદમાં નમાજ અદા કરી રહેલ ઓછામાં ઓછા 44 લોકોને ગોળી મારીને તેમની હત્યા કરી નાખી. સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારે નાઈજીરિયાના અશાંત શહેરના મૈદુગુરીમાં મસ્જિદમાં પ્રાર્થના કરી રહેલ લોકો પર ગોળીઓ વરસાવનારા આ ઉગ્રવાદી કટ્ટરપંથી સંપ્રદાય બોકો હરમથી સંબંધિત માનવામાં આવી રહ્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 44 નમાજીઓના મોત થઈ ગયા છે. પહરી સમૂહના એક સભ્યના જણાવ્યા મુજબ આતંકવાદીઓના હુમલાનો જવાબ આપવાના પ્રયત્નમાં તેમના કેટલાક સદસ્યોને પણ ગોળી વાગી.