પાકિસ્તાનના વડાપ્રધાન યુસૂફ રજા ગિલાનીને વિશ્વાસ છે કે દેશને ટૂક સમયમાં જ આતંકવાદથી મુક્તિ મળી જશે. તેમણે કહ્યું કે પાકિસ્તાની સ એનાએ ચરમપંથીઓના બીજી અને ત્રીજી પંકિત્ના નેતાઓને ખત્મ કરી દીધા છે અને હવે ટૂક સમયમાં જ સેના સર્વોચ્ચ સ્તરના નેતાઓનો પણ ખાત્મો કરી દેશે.
સંસદના નીચલા સદનને સંબોધિત કરતા તેમણે કહ્યું કે જે સર્વોચ્ચ નેતાઓના માથે ઈનામની જાહેરાત કરવામાં આવી છે તેમને ટૂક સમયમાં જ ખત્મ કરી દેવામાં આવશે.
બીજી તરફ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ આતંકીઓને ચેતાવણી આપી છે કે તે પોતાના હથિયાર નાખી દે નહીં તો તેમનો ખાત્મો કરી દેવામાં આવશે.
પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના સાંસદો સાથે એક બેઠકમાં તેમણે કહ્યું કે કાં તો આતંકી હથિયાર નાખી દે અને સરકારના નિયમોનું પાલન કરે નહીં તો તેમને ખત્મ કરી દેવામાં આવશે.