Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોલંબો પાસે બોમ્બ વિસ્ફોટમાં 21ના મૃત્યુ

કોલંબો પાસે બોમ્બ વિસ્ફોટમાં 21ના મૃત્યુ

ભાષા

કોલંબો , શુક્રવાર, 6 જૂન 2008 (11:50 IST)
શ્રીલંકાની રાજધાનીની નજીક શુક્રવારે ગીચોગીચ ભરેલી એક બસમાં એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 21 લોકોના મૃત્યુ થઈ ગયા, જ્યારેકે અન્ય 47 ઘાયલ થયા, મરનારાઓમાં સાત મહિલાઓનો સમાવેશ થાય છે.

સૈન્ય પ્રવક્તાએ જણાવ્યુ કે આ વિસ્ફોટ સવારે 7 વાગીને 35 મિનિટે મોર્તુવામાં થયો. ઘટના સ્થળ રાજધાની કોલંબોથી 12 કિલોમીટર દૂર છે. પ્રવક્તાએ આ માટે લિટ્ટોને જવાબદાર ઠેરવ્યા છે.

તેમના મુજબ આ બોમ્બને શૈલબિવરામ્યા બોધ્ધ મંદિર અને મોરતુવા વિશ્વવિદ્યાલય વચ્ચેના રોડ પર લગાવવામાં આવ્યો હતો. બોમ્બના ચપેટમાં આવી ગયેલી બસ કોટ્ટાવાથી માઉંટ લવિનિયા જઈ રહી હતી. આ વિસ્તાર કોલંબોથી પાંચ કિલોમીટરના અંતરે આવેલો છે.

ઘાયલોને નજીકની ટિચિંગ હોસ્પિટલમાં અને બેસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રૂપે ઘાયલ કેટલાક લોકોને કોલંબોના નેશનલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati