Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે મનમોહન સિંહનો જન્મદિવસ

આજે મનમોહન સિંહનો જન્મદિવસ

ભાષા

પિટ્સબર્ગ , શનિવાર, 26 સપ્ટેમ્બર 2009 (11:17 IST)
PIB
પ્રધાનમંત્રી મનમોહન સિંહ આજે 77 વર્ષના થઈ ગયા. આ પ્રસંગે તેમને સેવાની તક આપવા બદલ દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યુ કે - તેઓ જનતાના આ કર્જને કદી નહી ચૂકવી શકે.

મનમોહને અહી ત્રીજુ જી-20 શિખર સંમેલન પૂરૂ થયા પછી એક પત્રકાર પરિષદમાં કહ્યુ કે હુ ભારતના લોકોનો આભારી છુ કે તેમણે મને પોતાની સેવા કરવાની તક આપી. હુ પહેલા પાંચ વર્ષ પૂરા કર્યા. ફરીથી તેમણે મને તક આપી અને તેમણે મારી પર ફરીથી વિશ્વાસ બતાવ્યો. મને લાગે છે કે આ એક પ્રકારનુ કર્જ છે. જેની ચુકવણી હું કદી નહી કરી શકુ. મનમોહનનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ પંજાબના ગાહમાં થયો હતો, જે હવે પાકિસ્તાનનો ચક્રવાલ જિલ્લો છે.

તેમણે કહ્યુ હુ જીવનપર્યંત દેશવાસીઓની સેવા કરીને જ આ કર્જની ચુકવણી કરવાનો પ્રયત્ન કરી શકુ છુ.

Share this Story:

Follow Webdunia gujarati