Publish Date: Wed, 14 Jun 2017 (11:19 IST)
Updated Date: Wed, 14 Jun 2017 (11:43 IST)
ક્યારેક ક્યારેક આપણ ખાન પાનનો પ્રભાવ પણ સાંધાના દર્દને પ્રભાવિત કરે છે. એ જ કારણ છે કે સાંધાના દુ:ખાવાની સમસ્યામાં તમને કેટલાક ફૂડ્સ ખાવાનુ ડોક્ટર ના પાડી દે છે જેથી તમે જલ્દી ઠીક થઈ શકો.
આવો જાણીએ કે સાંધાનો દુખાવો થાય તો આપણે કયા કયા ફૂડ્સ ન ખાવા જોઈએ.
1. જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા રહે છે તેમને ક્યારેય પણ આર્ટિફિશિયલ શુગરનો પ્રયોગ ન કરવો જોઈએ. તેનાથી તેમનુ વજન વધતુ નથી અને તેમને આ સમસ્યાથી છુટકારો મેળવવામાં સરળતા રહે છે. હકીકતમાં તેમા ઉચ્ચ માત્રામાં પ્રોટીન હોય છે જે તમારી માંસપેશીયોમાં સોજો અને દુખાવોનુ કારણ બને છે અને સાથે જ તમારુ વજન પણ વધારી શકે છે તેથી તમે આ પ્રકારના ઉત્પાદોનો પ્રયોગ ન કરો.
2. ટામેટામાં યૂરિક એસિડની ઉચ્ચ માત્રા હોય છે જે સાંધાના દુ:ખાવા માટે સારો નથી હોતો. તેનાથી તમારા સાંધાનો દુખાવો વધી જાય છે અને તમારા પગમા સોજા આવી શકે છે તેથી તેના સેવનથી બચો.
3. કેટલાક ખાસ પ્રકારના વેજિટેબલ ઑયલ જેવા કે કોર્ન ઓયલ, સૂરજમુખી ઓયલ કે સોયાબીન ઓયલ વગેરેમાં વસાની માત્રા ખૂબ વધુ હોય છે. જેનાથી શરીરનુ વજન વધી જાય છે અને તમારા પગ પર વધુ જોર પડે છે. તેથી આ પ્રકારના ઑયલ્સને ખાવાથી બચવુ જોઈએ.