Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વરસાદમાં આ રીતે સ્વાસ્થયનો ધ્યાન રાખો

વરસાદમાં આ રીતે  સ્વાસ્થયનો  ધ્યાન રાખો
, સોમવાર, 17 જુલાઈ 2017 (14:38 IST)
વરસાદના દિવસોમાં સ્વાસ્થય સમસ્યાઓ વધી જાય છે. આ રોગોમાં સામાન્ય ફ્લૂ, તાવ, બેક્ટીરિયલ, વાયરલ અને ફંગસના કારણ હોય છે તેથી તમારા ખાન-પાન પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. 
 
આ દિવસોમાં દાળ, શાક, ઓછી વસા યુક્ત આહાર વગેરેનો સેવન કરવું. એવું  આહર લો જેમાં કેલોરીની માત્રા સામાન્ય હોય. 
 
ગર્મ સૂપ- આ દિવસોમાં આદુંની સાથે ગર્મ સૂપનો મિશ્રણ લો. આ તમને માત્ર ઠંડ જ નહી પણ ફ્લૂથી બચાવશે. સાથે જ તમારા શરીરની થાકથી બચાવશે. 
 
ગર્મ ચા- આ મૌસમમાં એક કપ ગર્મ કડક ચા કે મસાલા ચા પીવો. મસાલા ચા તમારા ગળામાં સંક્રમણ અને શરદીને દૂર કરવામાં તમારી મદદ કરશે. 
 
સમોસા પકોડા- વરસાદના દિવસોમાં પકોડા ભોજન કોને પસંદ નહી હશે.  બજારમાં મળતા પકોડાથી તમે બચીને રહો. જો તમે ઈચ્છો છો તે તેને ઘરમાં બનાવો અને સંતુલિત માત્રામાં ખાવું. 
 
આ શાકને ખાવું 
આ મૌસમમાં ડુંગળી અને આદુંનો સેવન વધારે માત્રામાં કરવું જોઈએ. ભોજનમાં રેશાયુક્ત ફળોનો સેવન આ મૌસમમાં લાભદાયક થશે. લીંબૂમાં વિટામિન સી મળે છે. સાથે જ તેનાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. તેની સાથે જ ફુદીનાનો સેવન કરી શકો છો. તેનાથી તમારું પાચન તંત્રને મજબૂતી મળશે. 
 
આ ખાવાથી બચવું 
આ મૌસમમાં વધારે તેલ મસાલા અને બહારની વસ્તુઓને ખાવાથી પરેજ કરવું.સાથે જ ખાટી વસ્તુઓ, આમલી અથાણું નહી ખાવું જોઈએ તેનાથી શરીરમા અંદર પાણીની માત્રાની ઉણપની શકયતા વધી જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો કોણે કોણે લસણ ન ખાવુ જોઈએ