Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pain killer- પેનકિલરથી સંકળાયેલી આ 5 ભૂલો વધારી શકે છે પ્રોબ્લેમ

Pain killer- પેનકિલરથી સંકળાયેલી આ 5 ભૂલો વધારી શકે છે પ્રોબ્લેમ
, રવિવાર, 30 મે 2021 (16:49 IST)
માથાનો દુખાવો અથવા શરીરના દુખાવાની સમસ્યા સામાન્ય છે. કેટલાક લોકો માથાનો દુખાવો અથવા શરીરમાં દુખાવો દૂર કરેવા માટે ડૉક્ટરને પૂછ્યા વગર પેનકિલર લે છે. તે સમયે તો તમને શરીર અથવા માથાનો દુખાવોથી આરામ મળે છે પરંતુ પછી આ પેનકિલર રોગોનો કારણ બને છે. કેટલાક લોકો તો થોડું પણ દુખાવો થતાં પેનકિલર લેવાનું શરૂ કરે છે, જે બાદમાં તેમની આદત બની જાય છે.ખોટી રીતે પેનકિલરનું સેવન કરવાથી તમને ઘણા સાઈડ ઈફેક્ટસ પણ થઈ શકે છે. તો ચાલો જાણી કેવી રીતે પેનલિકરનો સેવન તમને નુકશાન પહોંચાડી શકે છે. 
1. પેઇન કિલરથી સંબંધિત ભૂલો 
થાકને કારણે, કેટલાક લોકો માથાનો દુખાવો અથવા શરીરના દુખાવોની ફરિયાદ કરે છે. આ કિસ્સામાં, ચેક અપ લેવાને  બદલે, પોત જ ડૉકટર બનીને પેનકેકિયર લઈ લે છે.પરંતુ આ તમારા માટે ખતરનાક બની શકે છે. માત્ર પેનકિલર જ નહી પણ વિટામિંસની ગોળીઓ પણ ડૉકટરથી પૂછીને લેવી જોઈએ.ખોટી રીત અને સમય પર પેનિસિલર લેવાથી તમને ઘણા આડઅસરો પણ હોઈ શકે છે તેથી, ડૉકટરને પૂછીને જ આ રીતની દવાઓનું સેવન કરવું. 
 
2. એક થી વધારે પેનકિલર લેવી 
ઘણીવાર એક પેનકિલરથી દુખાવો ન જતા લોકો થોડા સમય પછી બીજી પેનકીલર લઈ લે છે, જે શરીરને અંદર હાર્મ કરે છે. એક સંશોધન મુજબ એક કરતાં વધુ પેનકિલરના સાઈડ ઈફેક્ટના ખતરા વધારે નાખે છે. કોઈ પણ પેનલિકર નો અસર થવામાં  ઓછામાં ઓછા 30 મિનિટ લાગે છે. તેથી ધૈર્યહીન થઈને પેનકિલરની ઓવરડોજ લેવાથી તમને બ્લીડિંગ, કિડની ફેલિયર, હાર્ટ અટેક, બ્લ્ડ ક્લોટિંગ જેવા રોગોનો જોખમ તમે હોઈ શકે છે. 
3. નિયમિત ભાગ
ઘણીવાર  લોકો તેમના દુખાવાથી આરામ મેળવા માટે આ પ્રકારની ઘણી દવાઓના ટેવાઈ જાય છે અને તેને નિયમિત રૂપે લે છે. પરંતુ શું તમે જાણો છો લાંબા સમય સુધી કોઈ પણ પેનકિલરને ખાવાથી કિડનીની ફેલ, યકૃતને થતા નુકસાન અથવા માનસિક બીમારી થઇ શકે છે. તેથી કોઈપણ પેનકિલર ડૉક્ટરને પૂછ્યા વિના ખાવું નહીં.
 
4. ખાલી પેટમાં પેનકિલર લેવી - 
ઘણા લોકો  પીડા સહન ન કરવાના કારણે પેનકિલર લે છે પણ તેનાથી તેઓને ગેસ્ટિક અથવા એસિડિટીની સમસ્યાઓ થઈ શકે છે. ઉપરાંત તમારા સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ શકે છે તેથી, પેનકિલર ખાવાથી પહેલા કઈક જરૂર ખાવું જોઈએ.  
 
5. દવા તોડીને લેવી 
ગોળી નિગળવામાં પરેશાની હોવાના કારણે ઘણા લોકો તેને તોડી ખાય છે. બાળકોને ખાસ કરીને જો તમે દવાઓ તોડીને કે ક્રશ કરીને જ આપો છો. પરંતુ આમ કરવાથી દવા ઝડપથી શરીરમાં ઓગળી જાય છે, જે ઘણી વખત તમારા શરીરને હેન્ડલ કરી શકતી નથી. દવા તોડીને કે ક્રશ કરીને લેવાથી, એ ઓવરડોઝ જેવા કામ કરે છે એના પરિણામ રૂપે, ગોળીને તોડવાને બદલે, તેને આખી લો નહી તો ગોળીનો અડધો ભાગ જ લેવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Good Morning- જ્યારે સવાર થાય છે તો