Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૂતા પહેલા શરીરના આ બે ભાગો પર કરવી સરસવના તેલની માલિશ

સૂતા પહેલા શરીરના આ બે ભાગો પર કરવી સરસવના તેલની માલિશ
, સોમવાર, 5 જુલાઈ 2021 (16:07 IST)
આ ઉપાય કરવા માટે તમને સરસવની જરૂર પડશે. આ તેલ વિટામિન, કેલ્શિયમ, આયરન વગેરે પોષક તત્વ , એંટી-ઑક્સીડેંટ્સ અને ઔષધીય ગુણૉથી ભરપૂર હોય છે. તેનાથી શરીરની મસાજ કરવાથી બ્લ્ડ સર્કુલેશન સારું હોય છે. માંસપેશીઓ અને હાડકાઓમાં મજબૂતી આવે છે. ખાસ કરીને સૂતા પહેલા પગના તળિયે અને સરસવનુ તેલનો મસાજ કરવુ ખૂબ ફાયદાકારી ગણાયુ છે. 
 
પગના તળિયે મસાજ કરવાના ફાયદા 
- સૂતા પહેલા ઠંડા કે હૂંફાણ સરસવના તેલથી 5 મિનિટ સુધી પગની મસાજ કરવી. તેનાથી બ્લ્ડ સર્કુલેશન સારું હોય છે. 
- આંખની રોશની વધવામાં મદદ મળે છે. 
- દિવસભરની થાક, દુખાવા, સ્ટ્રેસ દૂર થઈ સારી ઉંઘ આવે છે. 
- માંસપેશીઓ અને હાડકાઓમાં મજબૂતી આવે છે. તેથી સાંધા અને શરીરના બીજા ભાગોમાં દુખાવાની સમસ્યાથી છુટકારો મળશે. 
- સૂતા પહેલા પગના તળિયે સરસવની મસાજ કરવાથી શરીરમાં એકત્ર એક્સટ્રા ફેટ ઓછુ કરવામાં મદદ મળે છે. 
 
નાભિ મસાજ કરવાના ફાયદા 
- સૂતા પહેલા 5 મિનિટ સુધી નાભિની સરસવની મસાજ કરવી. 
- તેનાથી હોંઠ ફાટવાની સમસ્યા દૂર થઈ નરમ અને ગુલાબી લિપ્સ મળે છે. 
- તેનાથી પાચન દુરૂસ્ત થઈ પેટ અને દુખાવા અને તેનાથી સંકળાયેલી સમસ્યાઓથી આરામ મળે છે. 
- નાભિમાં સરસવનુ તેલની મસાજ કરવાથી આંખમાં બળતરા, ખંજવાળ અને સૂકાપન ઠીક થવામાં પણ મદદ મળે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્પાઈસી ચણા ચાટ