Publish Date: Wed, 03 Aug 2022 (14:14 IST)
Updated Date: Wed, 03 Aug 2022 (14:16 IST)
દેશમાં મંકીપોક્સના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જારી કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે લાંબા સમય સુધી સંક્રમિત લોકોના સંપર્કમાં રહેવા અથવા મળવાથી મંકીપોક્સ થઈ શકે છે. જાણો શું કરવું અને શું ન કરવું...
દેશમાં મંકીપોક્સના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જારી કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે જો તમે લાંબા સમય સુધી ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં હોવ અથવા મળો તો મંકીપોક્સ થઈ શકે છે.
શુ કરવું- શુ ના કરવું
સંક્રમિત દર્દીઓથી દૂર રહેવું
સાબુથી હાથ ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો
જો તમારી આસપાસ મંકીપોક્સનો દર્દી હોય તો માસ્ક પહેરો અને ગ્લોવ્ઝનો ઉપયોગ કરવો
સાબુ અથવા સેનિટાઈઝર વડે હાથ ધોવાનું રાખો.
મંકીપોક્સથી સંક્રમિત દર્દી સાથે શારિરીક સંબંધ ન રાખો
આવી ભૂલો ક્યારેય ન કરવી
મંકીપોક્સના દર્દીના સંપર્કમાં આવેલા કોઈપણ વ્યક્તિ સાથે તમારો ટુવાલ શેર કરશો નહીં
ચેપગ્રસ્ત વ્યક્તિના કપડાને અલગ રાખવા, તમારા કપડા સાથે ધોવા નહીં
જો તમને કોઇ લક્ષણો હોય તો કોઈપણ જાહેર કાર્યક્રમ અથવા મીટિંગમાં જવાનું ટાળો
લોકોને ખોટી માહિતીના આધારે ડરાવશો નહીં
મંકીપોક્સના દર્દીના વપરાયેલા વાસણ અને ખોરાક શેર કરશો નહીં