Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નસકોરા બોલાવવાની સમસ્યાને દૂર કરવા આ ઉપાય અજમાવો

નસકોરા બોલાવવાની સમસ્યાને દૂર કરવા આ ઉપાય અજમાવો
, મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (17:55 IST)
અનેક લોકોને સૂતી વખતે નસકોરા બોલાવવાની ટેવ હોય છે. તેનાથી તમારી ઉંઘ તો વારે ઘડીએ ખુલે જ છે સાથે જ આસપાસ સૂતા લોકોને પણ ચિંતાનો સામનો કરવો પડે છે. તમારી આ આદત અનેકવાર શરમજનક બની જાય છે. જો તમે નસકોરાને દૂર કરવા માટે દરેક પ્રયત્ન કરી ચુક્યા છે તો આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાયો બતાવીશુ, જે મદદ લઈને તમે નસકોરાની સમસ્યાથી બચી શકો છો. 
 
1. મધ - રાત્રે સૂતા પહેલા 1 ચમચી મધ ખાવ. આવુ કરવાથી નસકોરાની સમસ્યાથી છુટકારો મળશે. 
 
2. યોગ - યોગાસન કરવાથે શ્વાસ નળી ઠીક રહે છે અને ફેફ્સામાં ઓક્સીજન પર્યાપ્ત માત્રામાં પહોંચે છે.
જેનાથી નસકોરા દૂર થાય છે. 
 
3. જાડાપણું - નસકોરા આવવાની સમસ્યાનુ એક કારણ વધતુ વજન છે. તેથી તમારા વજનને કંટ્રોલ કરો. 
 
4. ડાબી કરવટ સૂવો - એવુ કહેવાય છે કે ડાબી બાજુ પડખું કરીને સૂવાથી નસકોરા ઓછા બોલે છે. 
 
5. ગરમ પાણી - રાત્રે સૂતા પહેલા ગરમ પાણીનુ સેવન કરો. કારણ કે ગરમ પાણી પીવાથી ગળુ ખુલી જાય છે. 
 
6. નાકને સાફ રાખો - નાક સાફ ન હોવાથી અને સોજો હોવાને કારણે પણ નસકોરાની સમસ્યા થાય છે. આવામાં નાકની સમય સમય પર સફાઈ કરો. 
 
7. ધૂમ્રપાન - ધૂમ્રપાન કરનારા લોકોને નસકોરાની સમસ્યા વધુ હોય છે તો તમારા સારા સ્વાસ્થ્ય અને નસ્કોરાથી છુટકારો મેળવવા માટે ધૂમ્રપાન કરવુ છોડી દો.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ રેસિપી આપશે તમને શરદીમાં પણ ગરમીનો ....