Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભોજન કરતા જ શૌચ જવાની સમસ્યાના શું છે કારણ, ઘરેલૂ ઉપાય

ભોજન કરતા જ શૌચ જવાની સમસ્યાના શું છે કારણ, ઘરેલૂ ઉપાય
, ગુરુવાર, 25 નવેમ્બર 2021 (07:33 IST)
વિચારો તમે કોઈ પાર્ટીમાં ગયા છો ત્યાં તમારી પસંદની ઘણી પ્રકારની વાનગી રાખી છે પણ આ ડિશેજને ખાવાથી ગભરાઈ રહ્યા છો. તેનો કારણ છે કે ભોજન કરવાના થોડીવાર પછી જ તમને ટૉયલેટ તરફ ભાગવાની સમસ્યા છે. આ સત્યતા તે લોકો માટે ખૂબ ભયાવહ છે જે આ સમસ્યાથી પસાર થઈ રહ્યા છે. ભોજન કરતા તરત જ પૉટી લાગવાની સમસ્યને ગેસ્ટ્રો-કૉલિક રિફ્લક્સ કહે છે. જોવાયુ છે કે આ સમસ્યા તે લોકોને વધારે આવે છે જે શરૂઆતમાં લાંબા સમય સુધી શૌચને રોકીને રાખે છે. 
 
ઘરેલૂ ઉપચાર 
- મીઠા કેરીનો રસ 50 ગ્રામમાં મીઠો દહીં 10-20 ગ્રામ અને આદુંનો રસ 1 ચમચી ભરી દરરોજ દિવસમાં 2 વાર થોડા દિવસો દર્દીને પીવડાવતા રહેવાથી લાભ થવા લાગે છે. 
- આમલી છાલટાનો ચૂર્ણ 1 થી 6 ગ્રામ સુધી સુધી 20 ગ્રામ તાજા દહીમાં મિક્સ કરી દિવસમાં 2 વાર(સવારે અને સાંજે) ચટાવવાથી બાળકોને આ સમસ્યાથી છુટકારો મળે છે. 
- ઈસબગોળ 4 ગ્રામને 40 ગ્રામ ગરમ જળમાં પલાળી દો. ઠંડુ થતા પર તેમાં 10 ગ્રામ ઓરેંજ કે દાડમનો શરબત મિક્સ કરી થોડા દિવસોમાં આ સમસ્યા દૂર થઈ જાય છે. 
- પિપળી, ભાંગ અને સૂંઠના સમભાગ ચૂર્ણને મધની સાથે સેવન કરતા રહેવાથી ભયંકર સંગ્રહણીમાં પણ લાભ થઈ જાય છે. 
- બેલ ના કાચા ફળને અગ્નિમાં શેકીને પલ્પ કાઢી થોડી ખાંડ મિક્સ કરી સેવન કરતા રહેવાથી રાહત મળે છે. 
-ત્રણ ગ્રામ કેરીના ફૂલનો ચૂર્ણ બારીક વાટીને વાસી જળની સાથે સેવન કરવાથી લાભ હોય છે. 
- ભાંગ 2 ગ્રામ શેકીને 3 ગ્રામ મધમાં મિક્સ કરી ચાટવાથી આરામ મળે છે. 
 
આ ઉપાયોને અજમાવો 
- ભોજન સારી રીતે ચાવીને ખાવો 
- ફાઈબરવાળા ભોજનનો કરો સેવન 
- 3-4 વારમાં થોડુ-થોડું ભોજન કરો. 
 
ભોજનમાં શામેલ કરો આ વસ્તુઓ 
આ સમસ્યાથી બચવા માટે ફાઈબર યુક્ત ખાદ્ય પદાર્થોને તમારા ભોજનમાં શામેલ કરવી. ફાઈબરથી ભરપૂર ખાદ્ય પદાર્થોમાં નાશપાતી, સફરજન, વટાણા, બ્રોકલી, આખા અન્ન, સેમ અને દાળ શામેલ છે. સાથે જ ભોજનમાં દહીં, કાચુ સલાદ, આદું, પાઈનાપલ, જામફળ વગેરે શામેલ કરવું. તે સિવાય કેળા, કેરી, પાલક, ટમેટા, નટસ અને શતાવરી વગેરે ભોજનમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે તેથી આ ભોજન પણ ફાયદાકારી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Banana Tea- આ ચા પીવાથી સો વર્ષના આયુષ્ય મળશે