Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો તમે અથાણું ખાવાના શોખીન છો તો થઈ જાવ સાવધાન

જો તમે અથાણું ખાવાના શોખીન છો તો થઈ જાવ સાવધાન
, બુધવાર, 23 નવેમ્બર 2016 (12:42 IST)
અનેક લોકો અથાણુ ખાવાના ખૂબ શોખીન હોય છે. તેઓ ભાત રોટલી અને અનેક પકવાન સાથે અથાણાંનુ સેવન કરે છે. અથાણાને બનાવતી વખતે તેમાં અનેક હાનિકારક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે લાંબા સમય સુધી ટકી રહે. જો તમે રોજ અથાણુ ખાવ છો તો આ તમારા આરોગ્ય માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. આજે અમે તમને બતાવી રહ્યા છે કે અથાણુ કેવી રીતે તમારા આરોગ્ય માટે હાનિકારક છે. 
 
1. ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક - ડાયાબિટીસના દર્દીઓ માટે અથાણાંનુ સેવન કરવુ હાનિકારક સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અથાણાને પ્રિઝર્વ કરવા માટે તેમા ખાંડ ભેળવવામાં આવે છે. તેથી સારુ રહેશે કે ડાયાબિટીસના દર્દીઓ આનુ બિલકુલ સેવન ન કરે. 
 
2. આંતરડાનું  અલ્સર - રોજ અથાણુ ખાવાથી આંતરડાનું અલ્સર થવાનુ સંકટ વધી જાય છે. તેથી તમારા સારા સ્વાસ્થ્ય માટે અથાણું ઓછુ ખાવ. 
 
3. સોજા - અથાણામાં સોડિયમની માત્રા વધુ જોવા મળે છે. જેના કારણે સોજાની સમસ્યા થઈ શકે છે. 
 
4. હાઈ બ્લડપ્રેશર - તેનુ સેવન વધુ કરવાથી બ્લડપ્રેશર વધી જાય છે. જે લોકો હાઈ બ્લડપ્રેશરથી પરેશાન છે તેમણે અથાણું ન ખાવુ જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોળાના બીજમાં છુપાયો છે અનેક બીમારીઓનો ઈલાજ