Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona Virus- ચામાચિડીયા ખાઈને આ છોકરીએ દુનિયામાં ફેલાવયો કોરોના વાયરસ? શું છે સચ્ચાઈ

Corona Virus- ચામાચિડીયા ખાઈને આ છોકરીએ દુનિયામાં ફેલાવયો કોરોના વાયરસ? શું છે સચ્ચાઈ
, સોમવાર, 27 જાન્યુઆરી 2020 (13:13 IST)
કોરોના વાયરસ હવે ભારત સુધી પહોંચી ગયુ છે. મુંબઈમાં બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. અત્યારે તેમનો પરીક્ષણ કરાઈ રહ્યું છે. અત્યાર સુધી જીવલેણ કોરોના વાયરસથી ચીનમાં 80 લોકોની મોત થઈ ગઈ છે. જ્યારે 830 લોકો સંક્રમિત છે. 
 
આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે જેમાં આ દાવો કરાઈ રહ્યું છે કે કોરોન વાયરસ ચીનની એક છોકરીથી ફેલયો જેને ચામાચિડિયા ખાઈ  લીધું હતું. 
 
ડેલી મેલની એક રિપોર્ટ મુજબ ચામાચિડિયાનાને ખાતા અને તેનો સૂપ પીતા આ છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યુ છે. આ વીડિય્ની સાથે આ મેસેજ વાયરલ થઈ રહ્યુ છે કે ચામાચિડિયા ખાધા પછી છોકરીમાં કોરોના વાયરસ આવ્યું. જે લોકોમાં ફેલી ગયા. 
 
તેમજ ચીનના એક વૈજ્ઞાનિકએ દાવો કર્યુ છે કે કોરોના વાયરસ સાંપ અને ચામાચિડિયાના દ્વારા લોકોમાં ફેલ્યો છે. 
 
ચીનના વુહાનમાં એવા જીક જંતુનો બજાર છે જ્યાં સાંપ ચામાચિડિયા, મેરમોટસ, ખરગોશ વગેરે વેચાય છે આ જીવોને ચીનના લોકો ખાય છે. 
 
વૈજ્ઞાનિકોનો માનવું છે કે ચામાચિડિયાથી ફેલનાર SARS (Severe Acute Respiratory Syndrome)  ના વાયરસથી લોકોમાં ફેલાયો. ખબર હોય કે ચીનમાં કોરોના વાયરસના ડરથી બુહાલ સાથે 9 શહરોને બંદ કરી નાખ્યુ છે. બુહાનમાં 700થી વધારે ભારતીય સ્ટૂડેંટ અભ્યાસ કરે છે. 
 
શું છે કોરોના વાયરસ 
કોરોના વાયરસ વિષાણુઓના પરિવારનો છે. આ વાયરસ ઉંટ, બિલાડી અને ચામાચિડિયા સાથે ઘણા પશુમાં પણ પ્રવેશ કરે છે. વિશ્વ સ્વાસ્થય સંગઠનના મુજબ કોરોના વાયરસ સી ફૂડથી સંકળાયેલો છે. 
 
કોરોના વાઇરસનાં લક્ષણોમાં માથું દુખવું, નાક વહેવું, ખાંસી, ગળું ખરાબ થવું, તાવ આવવો, બેચેની અને થાક લાગવો, છીંક આવવી કે અસ્થમા વકરવો, ન્યુમોનિયા અને ફેફસાંમાં સોજો વગેરે છે. ફેફસાંમાં ગંભીર પ્રકારના સંક્રમણ થઈ જાય છે. 
 
અત્યારે સુધી આ વાયરસથી છુટકારો મેળવવા માટે કોઈ વેક્સિન બનાવાઈ નથી.  પણ તેના લક્ષણોના આધારે જ ચિકિત્સક તેની સારવારમાં બીજી જરૂરી દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. પણ હવે તેની દવા પણ શોધાઈ રહી છે. 
 
આ છે બચાવના ઉપાય 
- તમારા હાથ સાબુ અને પાણી કે અલ્કોહલ યુક્ત હેંડ રબથી સાફ કરવા. 
- ખાંસી ખાતી વખતે અને છીંકતા સમયે તમારી નાક અને મોઢાને ટિશ્યૂ કે  હાથ વડે ઢાંકો. 
- જેને શરદી કે ફ્લૂ જેવા લક્ષણ હોય, તેમણે લોકો સાથે નિકટના  સંપર્ક બનાવવાથી બચવું. 
- તે સિવાય ભોજનને સારી રીતે રાંધવું. મીટ અને ઈંડાને પણ રાંધીને ખાવા. જાનવરોના સંપર્કમાં ઓછું આવવું. 
 
કોરોના વાયરસના વિશ્વના 10 દેશોમાં ફેલનારની તપાસ થઈ છે. ઘણા દેશોમાં તેના શંકાસ્પદ મળી રહ્યા છે. તેમાં ભારતમાં પણ બે શંકાસ્પદ શામેલ છે. ચીનમાં ફેલેલા વાયરસની ચપેટમાં એક ભારતીય નાગરિક પણ આવી ગઈ છે. 
 
યૂરોપમાં પણ પહોંચ્યું 
ફાંસમાં પણ કોરોના વયારસથી સંક્રમણના બે કેસ સામે આવ્યા છે. તેથી યૂરોપમાં પણ તેને દસ્ત્ક આપી દીધી છે. 
 
ફ્રાંસમાં હોસ્પીટલમાં દાખલ લોકો 
ફાંસમાં વાયરસ સંક્રમિત ત્રણ કેસની તપાસ થઈ છે. અહીં પ્રથમ કેસ સાઉથવેસ્ટર્ન સિટીમાં થયું. તેમજ બીજું કેસ પેરિસમાં મળ્યુ છે. જ્યારે ત્રીજુ કેસ પીડિતના એક સંબંધી છે. 
 
ચીનમાં ગંભીર સ્થિતિ 
ચીનમાં તેમના 15 શહરોના સાડા ચાર કરોડ નાગરિકોને કયા પણ આવવાની રોક લગાવી નાખી છે. સરકારએ અત્યારે સુધી 41 લોકોના મૃત્યુની તપાસ કરી છે અને પ્રભાવિતની સંખ્યા 926ના નજીક છે. 
 
ભારતમાં અલર્ટ 
ભારતમાં પણ સેક્ડો લોકોની તપાસ પછી 12 લોકોને હોસ્પીટલમાં દાખલ કરાવ્યુ છે. તેમાં સૌથી વધારે દર્દી કેરળમાં છે. 3 મુંબઈ અને હેદરાબાદ બેંગલુરુમાં 1-1 દર્દી છે. આ લોકો તાજેતરમાં જ ચીન ને હોંગકોંગથી પરત આવ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજનો સુવિચાર - ગુજરાતી સુવિચાર